યુગદ્રષ્ટા કે.આઈ.ઠક્કરની વસમી વિદાય : શોકમગ્ન લોહાણા સમાજ
પૂર્વ ઇન્કમટેક્ષ કમિશ્નર અને લોહાણા સમાજ અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)નો જીવનદીપ રવિવારે સવારે ૧૧ કલાકે પોતાના નિવાસ્થાને બુજાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી નાદુરસ્ત તબિયત આખરે દગો આપી દેતા ૯૨ વર્ષના કાંતીકાકાએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. કાંતીકાકાની અંતિમ ઈચ્છા મુજબ તેમની પાછળ બેસણું કે બારમા જેવી કોઈ પણ લૌકિક ક્રિયાઓ રાખવામાં આવેલ નથી...