Author - admin

એલિસબ્રિજમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને મળી રહેલો પ્રચંડ આવકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની આડે હવે ગણતરીના દિવસે બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે વધુમાં વધુ લોકોનો સંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે, અમદાવાદની સૌથી શિક્ષિત ગણાતી એલીસબ્રીજ બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, અમિત શાહ અગાઉ આજ મત...

રાધનપુર નગર પાલિકા પ્રમુખ મહેશભાઈના માતૃશ્રીનું નિધન

રાધનપુર નગર પાલિકના યુવાન પ્રમુખ મહેશભાઈ અરજણભાઈ (મહેશ અદા)ના માતૃશ્રી શ્રીમતી કાંતાબેન અરજણભાઈનું તા.૧૭.૧૧.૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયેલ છે, તેમનું બેસણું તા. ૨૬.૧૧.૨૦૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાધનપુર ખાતે આવેલ થર પારકર લોહાણા મહાજન વાડી, પરામાં, રાધનપુર ખાતે રાખેલ છે. શ્રી મહેશભાઈ ઠક્કર લોહાણા સમાજમાં ખુબ જ લોકપ્રિય યુવા...

મોરબી લોહાણા મહાજન પ્રકાશ રવેશિયાના હત્યારાને સાથ આપશે..? કે રઘુવંશીપણું બતાવશે..?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જ મોરબી પૂલ દુર્ઘટનાના કારણે મોરબીની સીટ ખાસ્સી ચર્ચામાં જોવા મળી રહી છે અહી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી આવેલ બ્રિજેશ મેરજા ના સ્થાને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ટીકીટ આપી છે. કાનાભાઈ ના હુલામણા નામથી ઓળખાતા આ પૂર્વ ધારાસભ્ય પર લોહાણા સમાજના અગ્રણી કાર્યકર્તા પ્રકાશ રવેશિયાની હત્યાનો આરોપ...

જૂનાગઢમાં મશરૂ, પોરબંદરમાં બુધેચાની બોલબાલા : રઘુવંશી વિરલાઓ પૂરી તાકાતથી મેદાનમાં

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે પુરજોશમાં ચાલી રહ્યો છે, તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, ત્યારે અમુક એવી પણ બેઠકો છે જ્યાં જ્ઞાતિ આધારિત ઉભા થયેલા અપક્ષ ઉમેદવારો મુખ્ય રાજકીય પક્ષોને કાંટાની ટક્કર આપી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર ચાલી રહ્યો છે અહીના...

હિન્દુત્વના ગઢ ગણાતા ખાડિયામાં હિન્દુત્વના ગૂંગળાઈ રહેલા શ્વાસ : ટીકીટ માટે દોસ્તો બન્યા દુશ્મન ?

  હિન્દુત્વનો ગઢ ગણાતી ખાડિયા વિધાનસભા વિસ્તારમાં હવે વર્ષો પછી હિન્દુત્વના શ્વાસ ગુંગળાતા હોય તેવી ઘટનાઓ બની રહી છે અને તેવા સમાચાર સામે આવી રહ્યા છે. દિવંગત નેતા શ્રી અશોક ભટ્ટનો અજય ગઢ ગણાતી ખાડિયા બેઠક આજકાલ ભાજપના જ નેતાઓની સત્તા લાલસાના કારણે ચર્ચાનો વિષય બની છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા સામે હારી જનાર ભાજપ...

હાયર ધેન હોપ ફાઉન્ડેશન દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન

કેન્સરના રોગમાંથી સંપૂર્ણ સજા થયેલા એક વ્યક્તિને પોતે કેન્સર દરમ્યાન વેઠેલી પીડાઓ અને વેદનાઓ અન્ય દર્દીઓને કેટલી હેરાન કરતી હશે..? જેવો એક વિચાર આવ્યો અને પીડાથી વ્યથિત દર્દીઓ માટે કઈક કરવું જોઈએ જેવી ભાવના સાથે આગળ વધી રહેલું ગ્રુપ એટલે હાયર ધેન હોપ ફાઉન્ડેશન... આ પરિવાર દ્વારા આવતીકાલે તા.૨૪ નવેમ્બર ના રોજ અમદાવાદના વાસણા વિસ્તારમાં...

લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે પાયમાલ કરનાર પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક પરિવારના સાત સભ્યો સામે ખોટા ખેડૂત કેસમાં અપીલ દાખલ

લોહાણા મહાપરીષદના પોતાના સાશનકાળ દરમ્યાન લોહાણા સમાજની આન,બાન,શાન અને આબરૂ ભાજપ કાર્યલયમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગીરો મુકે દેનાર અને લોહાણા સમાજને અન્ય કોઈ પક્ષમાં આગળ નહી વધવા દેનાર પૂર્વ પ્રમખ પ્રવીણ કોટક સામે લોહાણા સમાજની સંસ્થાઓમાં અનેક ગોટાળા કર્યા હોવાનો આરોપ પણ છે અને તેને લગતા અનેક પુરાવા પણ છે. સોલા ભાગવત ખાતે...

રાજકોટ ભાજપ નેતાઓની તાનાશાહી સામે લાચાર રઘુવંશી ઉમેદવાર : ભયભીત થઇ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાની ખબર

  વિશ્વના કહેવાતા સૌથી મોટા લોહાણા મહાજન માટે શરમજનક ઘટના : સમાજ અગ્રણીઓની ભાજપ ભક્તિ સામે આવી   કહેવાતી શિસ્તબદ્ધ અને સંસ્કારી ભારતીય જનતા પાર્ટીનું વરવું અને ભયાનક રૂપ ચૂંટણીમાં હાર સામે દેખાતા સામે આવવા લાગ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે હરકત કરી છે તેનાથી વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાતી ભારતીય લોકશાહી પર એક કાળું કલંક...

વિશ્વભરમાં વસતા લોહાણા સમાજનું આનાથી વધુ મોટું અપમાન શું હોય ? : ભાજપને વર્ષો સુધી યાદ રહે તેવો પાઠ ભણાવવા યુવાનોની તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના બંને મુખ્ય રાજકીય પક્ષોએ લોહાણા સમાજના રાજકીય અગ્રણીઓની સદંતર અવગણના કરી રાજકીય રીતે લોહાણા સમાજના ગાલ પર થપ્પડ મારવાની કોશિશ કરી છે. એક તરફ સામાજિક આગેવાનોના પગમાં આળોટતી રાજકીય પાર્ટીઓ તેમના કહેવાથી ટીકીટો આપે, તેમના કહેવાથી મંત્રી બનાવી અરે ખુદ મુખ્ય મંત્રી કોણ બનશે તે કેટલાક ચોક્કસ સમાજના સામાજિક આગેવાનો...

લોહાણા સમાજની રાજકીય દુર્દશા માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકની ચાપલૂસ નીતિ જવાબદાર : અંગત સ્વાર્થ માટે સમાજની ગરિમા ગીરો મુકાઈ

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની જાહેર થયેલી યાદીમાં આશ્ચર્ય જનક રીતે લોહાણા સમાજના રાજકીય કાર્યકરો સાથે મુખ્ય બંને રાજકીય પક્ષોએ ભારોભાર અન્ય કર્યો છે, એમ સમજો કે મુખ્ય રાજકીય પક્ષોએ ગુજરાતના લોહાણા સમાજની લાગણીની ક્યાંય નોંધ સુદ્ધા લીધી નથી. ભારતીય જનતા પક્ષે જે એક ટીકીટ ફાળવી છે તે વાંકાનેર બેઠક પર જીતેન્દ્ર સોમાણી રાજકીય રીતે મજબૂત...